કંપનીએ એડ નહીં હટાવી તો અમિતાભ બચ્ચને મોકલી લીગલ નોટિસ, જાણો શું છે મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર, 2021

સોમવાર

 

અમિતાભ બચ્ચને હાલમાં જ એક પાન મસાલા બ્રાન્ડને કાનૂની નોટિસ મોકલીને માંગ કરી છે કે તેમના પર કરવામાં આવેલી જાહેરાત તાત્કાલિક બંધ કરવામાં આવે. અમિતાભે હાલમાં જ 11 ઓક્ટોબર એટલે કે તેમના જન્મદિવસે આ કંપની સાથેનો તેમનો કરાર સમાપ્ત કર્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ કંપની સતત તે જાહેરાત બતાવી રહી છે જેના કારણે બિગ બીએ હવે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનની ઓફિસમાંથી માહિતી મળી છે કે તેણે આ ગુટકા બનાવતી કંપનીને પોતાની જાહેરાત પર પ્રતિબંધ લગાવવા માટે કાનૂની નોટિસનો સહારો લીધો છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન લાંબા સમયથી પાન મસાલાની જાહેરાતને લઈને ટ્રોલ થયા હતા. આ પછી, તેમના 79માં જન્મદિવસ પર, તેમણે આ કંપની સાથે કરાર સમાપ્ત કરવાની જાહેરાત કરી. આ સાથે તેણે કંપનીને પૈસા પણ પરત કરી દીધા હતા.

રોજ રાત્રે સૂતા પહેલા અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયની માંગતો હતો માફી, જાણો તેની પાછળ નું કારણ

પાન મસાલાની જાહેરાત બાદ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. એક વ્યક્તિએ બિગ બી પર સવાલ કરીને ગંભીર આરોપ લગાવ્યો હતો. બાદમાં બિગ બીએ તે યુઝરને પોતાના જવાબમાં કહ્યું હતું કે, સર, મને માફ કરજો, જો કોઈ કોઈ બિઝનેસમાં સારું કરી રહ્યું હોય, તો કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આપણે તેની સાથે શા માટે જોડાઈ રહ્યા છીએ. હા, ધંધો હોય તો આપણે આપણા ધંધાને પણ વિચારવો પડે. હવે તમને લાગે છે કે મારે આવું ન હતું કરવું જોઈતું. પણ હા, આ કરવાથી, મને પૈસા મળે છે. ઘણા લોકો જેઓ આપણા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે, જેઓ કર્મચારી છે તેમને પણ રોજગાર અને પૈસા મળે છે. અને પ્રિય ટટપુંજિયા શબ્દ તમારા મોંને શોભતો નથી અને અમારા વ્યવસાયના અન્ય કલાકારોને પણ શોભતો નથી. આદર સાથે નમસ્કાર.'

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More