સરહદ પર તણાવ વચ્ચે ભારતનો જડબાતોડ જવાબ, ચીન સહિત આ દેશોના ટૂરિસ્ટને હવે નહીં મળે ઇ-વીઝા; અન્ય 152 દેશોને મળશે આ લાભ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

ગુરુવાર.

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ભારતે ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા નહીં આપવાનો નિર્ણય લીધો છે. 

આ ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત ઈ વિઝા નહીં આપે. 

જો કે તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે.

એક અહેવાલ મુજબ અગાઉ ભારતે 171 દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપી હતી.

કહેવાય છે કે પીપલ્સ લિબરેશન આર્મી સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. 

ઉત્તરાખંડના જોવાલાયક સ્થળોને છોડીને, એકવાર મિત્રો સાથે આ ઓફબીટ સ્થળોને ને તમારા પ્લાન માં કરો સામેલ; જાણો તે જગ્યા વિશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More