નવાબ મલિકે ફરી ચલાવ્યું આક્ષેપનું તીર, હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ; અંડરવર્લ્ડ અને નકલી નોટના ધંધા સાથે જોડ્યા તાર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

બુધવાર

મુંબઈમાં ક્રૂઝ ડ્રગ કેસને લઈને સમીર વાનખેડે પર સતત હુમલો કરી રહેલા નવાબ મલિકે બુધવારે ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરી. આજે તેમનું નિશાન રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હતા. નવાબ મલિકે કહ્યું કે ફડણવીસની સરકારમાં નકલી નોટોના રેકેટ ચલાવતા લોકોને સુરક્ષા આપવામાં આવી હતી. આ લોકોના તાર અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે જોડાયેલા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે કહ્યું હતું કે "8 નવેમ્બર, 2016 ના રોજ જ્યારે નોટબંધી થઈ, ત્યારે મોદીજીએ કહ્યું હતું કે અમે નકલી નોટોને મોટા પાયે ખતમ કરવા માટે નોટબંધીનું કામ કરી રહ્યા છીએ. નોટબંધી પછી દરેક દેશના દરેક ભાગમાં નકલી નોટો પકડાવા લાગી પરંતુ મહારાષ્ટ્રમાં એક પણ નકલી નોટનો મામલો સામે આવ્યો નથી. મહારાષ્ટ્રમાં દેવેન્દ્રજીના રક્ષણમાં નકલી ચલણનો ખેલ ચાલી રહ્યો હતો. 8 ઑક્ટોબર 2017ના રોજ ઇન્ટેલિજન્સ રેવન્યુના ડિરેક્ટરે BKC ખાતે દરોડો પાડ્યો હતો, જેમાં ₹14 કરોડ 56 લાખની નકલી ચલણી નોટો પકડાઈ હતી.

દેવેન્દ્ર ફડણવીસે ઈશારામાં જ્યોર્જ બર્નાર્ડ શૉની કેટલીક લાઈનો ટ્વીટ કરીને આ વાત પર નવાબ મલિકને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે 'મેં ઘણા સમય પહેલા વાંચ્યું હતું કે ડુક્કર સાથે ક્યારેય લડવું ન જોઈએ. તમે મેલા બની જશો અને ડુક્કરને તે ગમે છે!' 

 મધ્ય રેલવેને લીંબુ અને કેપ્સિકમથી ધનલાભ; આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આટલા કરોડની પાર્સલ આવક: જાણો વિગત

નવાબ મલિકના આક્ષેપ મુજબ નકલી નોટોનું કનેક્શન ISI અને પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથે હતું. મુંબઈના ઈમરાન આલમ શેખ અને પુણેના રિયાઝ શેખ ઉપરાંત નવી મુંબઈમાં પણ એકની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 14 કરોડ 56 લાખની જપ્તી 8 કરોડ 80 લાખ હોવાનું જણાવી મામલો દબાવી દેવાયો હતો. નવાબ મલિકે કહ્યું કે જે અધિકારી પર અમે આરોપો લગાવી રહ્યા છીએ તેને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે દેવેન્દ્રજીના તે અધિકારી સાથે જૂના સંબંધો છે. પાકિસ્તાનની નકલી નોટ ભારતમાં જાય તો કેસ નોંધાય તો થોડા દિવસોમાં જામીન મળી જાય છે. આ મામલો NIAને આપવામાં આવ્યો નથી. નોટો ક્યાંથી આવી હતી તેની તપાસ ક્યારેય આગળ વધતી નથી. નકલી ચલણનું રેકેટ ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું.

વધુ આક્ષેપો કરતા નવાબ મલિકે જણાવ્યું હતું કે નકલી નોટો ચલાવવાના આરોપી ઈમરાન આલમ શેખને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોને સરકારી કમિશનમાં બેસાડવા માટે 6 મહિના પછી લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. દેવેન્દ્રજી, તમે મુન્ના યાદવને અધ્યક્ષ બનાવો. આ દેશમાં બાંગ્લાદેશીઓને વસાવનાર કુખ્યાત ગુંડા છે. તે કોઈપણ પાર્ટીમાં હોય, તે તમારા માટે કામ કરે છે. તમે રાજકારણનું અપરાધીકરણ કર્યું છે.

બોરીવલીથી વસઈ જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકમાંથી મળશે છુટકારો: આ મહિનાથી ખુલ્લો થશે નાયગાવનો ફ્લાયઓવર: જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More