આજે દિવાળી : મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર આટલા કલાક ખુલ્લું રહેશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

ગુરુવાર

વિક્રમ સંવત ૨૦૭૭ નો આજે છેલ્લો દિવસ છે. આજનો દિવસ એટલે દિવાળી. આજે શેર બજાર રેગ્યુલર સમય પર બંધ છે પરંતુ મુહૂર્ત ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ સમયે એક કલાક ચાલુ રહેશે. અનેક વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે.

ચાલુ વર્ષે એટલે કે ગુરુવારના દિવસે સાંજે છ વાગ્યે પંદર મિનિટથી સાત વાગ્યે પંદર મિનિટ સુધી શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગ માટે ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત ૧૨ વર્ષમાં શેરબજારમાં જેટલો લાભ રોકાણકારોને નથી થયો કેટલો લાભ વિક્રમ સંવત ૨૦૭૭ માં થયો છે. હવે જોવાનું એ રહે છે કે ચાલુ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારનું વલણ કેવું રહે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More