શું સમેટાઇ રહ્યું છે ખેડૂત આંદોલન?  ટિકરી બાદ હવે આ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સ દિલ્હી પોલીસે હટાવ્યા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

શુક્રવાર

ટિકરી બોર્ડર બાદ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.

લગભગ 11 મહિના બાદ દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનાં વિરોધ સ્થળ પર લગાવેલા બેરિકેડ્સને હટાવવાનું શરૂ કર્યું છે. 

એક પોલીસ અધિકારીએ કહ્યું કે સરકાર તરફથી આદેશ છે, તેથી અમે બેરિકેડિંગ હટાવીને રસ્તો ખોલી રહ્યા છીએ. 

જોકે હાલમાં ફક્ત બેરિકેડ હટી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂત હજું ત્યાં જ અડેલા છે.

થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, ખેડૂતો રસ્તા જામ કરીને આંદોલન ન રાખી શકે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રનાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનને કારણે આ રસ્તો લાંબા સમયથી બંધ હતો. 

સાચવજો, બેદરકારી દાખવવી ભારે પડશે! બ્રિટેન બાદ હવે ભારતમાં કોરોનાના વેરિયન્ટે દેખા દીધી, આ છ રાજ્યોમાંથી આવ્યા આટલા કેસ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More