મ્યાનમાર બાદ હવે આ દેશમાં સરકારનું વિસર્જન, સૈનિકોએ કેબિનેટ સભ્યોની કરી ધરપકડ ;કટોકટીની સ્થિતિ જાહેર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

મંગળવાર

સુદાનની સરકાર વિખેરી નાખવામાં આવી છે અને સૈનિકો દ્વારા કેબિનેટ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 

સાથે જ સુદાનના જનરલ ફતાહ અલ-બુરહાને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

નાગરિક તથા સૈન્યનેતાઓની સંયુક્ત સમિતિના વડા જનરલ અબ્દીલ ફતેહ બુરહાનનું કહેવું છે કે રાજનેતાઓની આંતરિક લડાઈને કારણે તેમને આ પગલું લેવું પડ્યું છે.

સુદાનની રાજધાની ખાર્તુમમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે .

સુદાન પર લાંબાગાળાથી ઓમર અલ-બશીરનું શાસન હતું. બે વર્ષ પહેલાં સૈન્ય અને નેતાઓએ મળીને સત્તાપરિવર્તન કર્યું હતું અને હંગામી સંક્રાંતિકાળ સરકારની સ્થાપના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે  સુદાન અગાઉથી જ આર્થિક સંકટમાં સપડાયેલું છે અને આંતરરાષ્ટ્રીય આર્થિક મદદથી તે બેઠું થવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સેના દ્વારા તખ્તાપલટ બાદ તેમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More