વીજળીના સંકટને માત આપવા મહારાષ્ટ્ર સરકાર ઊભો કરશે આટલા મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ; જાણો વિગત.

by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑક્ટોબર, 2021 
રવિવાર

દેશભરમાં કોલસાની અછત સર્જાતા તેમાંથી નિર્માણ થનારા વીજની કટોકટી નિર્માણ થઈ છે. તેથી તેને માત આપવા રાજયમાં વિવિધ ઠેકાણે લગભગ 577 મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્રોજેક્ટ ઊભા કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકાર હાથ ધરવાની છે. આ યોજના માટે 522 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેને પૂરો કરવામાં આવવાનો છે.

રાજયમાં 7,500 મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા વીજ નિર્માણનો પ્રોજેક્ટ ઊભો કરવાની યોજના છે. તેમાંથી 2,500 મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રોજેક્ટ રાજ્યની મહાવિતરણ કંપની સાર્વજનિક ખાનગી ભાગીદારી પદ્ધતિએ ઊભો કરવાની છે. તો બાકીનો 5,000 મેગાવોટ ક્ષમતાનો સૌર વીજ પ્રોજેક્ટ ખાનગી કંપની પાસે કરાવવાનો ઈરાદો છે.

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાનની મૂર્તિ સૂર્યકિરણોથી શોભાયમાન થશે; પ્રાચીન મંદિર જેવી ટેક્નોલૉજી અહીં વપરાશે

રાજયમાં હાલ મહાવિતરણ મારફત અત્યાર સુધી ચંદ્રપુરમાં 4 મેગાવોટ, ધુળે જિલ્લાના સાક્રીમાં 125 મેગાવોટ તો શિર્સુફળ બારામતીમાં 50મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. તો ધારશીવ જિલ્લામાં પણ 50 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ છે. લાતુરમાં 60 મેગાવોટ ક્ષમતાનો છે. એ સિવાય અન્ય જિલ્લામાં પણ સૌરઉર્જાનો પ્રોજેક્ટ ઊભા કરવામાં આવવાનો  છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More