વડાપ્રધાન મોદીના સલાહકાર તરીકે નિમાયા અમિત ખરે, અગાઉ આ પદેથી થયા હતા નિવૃત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

મંગળવાર

પૂર્વ કેન્દ્રીય સચિવ (HRD) અને 1985 બેચના IAS અધિકારી અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂકને મંજૂરી આપી છે. 

અમિત ખરેની બે વર્ષ માટે કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે.

ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિંહાએ આ વર્ષે સલાહકાર તરીકે પીએમઓ છોડ્યા બાદ તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે અમિત ખરે 30 સપ્ટેમ્બરે સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.  

 કેરળ સેશન્સ કોર્ટનો કિસ્સો : દહેજના ભૂખ્યા પતિએ પત્નીને કોબ્રા સાપથી કરડાવીને મારી નાખી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More