મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

સોમવાર

અંધેરી પૂર્વ અને પશ્ચિમ, જુહુ, વિલે પાર્લે જોગેશ્વરી વગેરેના કેટલાક વિસ્તારોમાં 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે તો કેટલાક ભાગોમાં ઓછા દબાણમાં પાણી પુરવઠો રહેશે.

આ સમયગાળા દરમિયાન બીએમસી કે / ઈસ્ટ ડિવિઝનમાં મહાકાળી ગુફા રોડ પર નંદ ભવન ઈન્ડસ્ટ્રીઝ પાસે 1200 મીમી વ્યાસ વર્સોવા આઉટલેટ પર લીકેજ રિપેર કાર્ય કરશે. 

દરમિયાન, પુરવઠાને સુવ્યવસ્થિત કરવાની કામગીરીને કારણે 5 અને 6 ઓક્ટોબરે પરેલના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. પરેલ, કેલેવાડી અને નાયગામમાં મંગળવારે સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો કાપવામાં આવશે.

તેથી, BMC એ આ વિસ્તારોના રહેવાસીઓને પાણીનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More