સગીર વયે લગ્ન થયાં હોય તો ૧૮ વર્ષ પહેલાં જ છૂટાછેડા માટે કોર્ટમાં યાચિકા કરવી પડે, નહિ તો આ રીતે લેવા પડે છૂટાછેડા

by Dr. Mayur Parikh
'Not having physical relationship after marriage is not cruelty under IPC', know why Karnataka High Court said this?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

ગત વર્ષે જૂનમાં લુધિયાણા ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાનો એક કેસ આવ્યો હતો. આ કેસમાં વર્ષ ૨૦૦૯માં લગ્ન થયાં એ વખતે છોકરો ૨૩ વર્ષનો હતો અને છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. સગીર વયની ઉંમરે લગ્ન થયાં હતાં. આ વાતના આધારે યુવતીએ આટલાં વર્ષો બાદ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી, જેને લુધિયાણા કોર્ટે ફગાવી દીધી હતી. 

ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આ કેસમાં નિર્ણય આપતી વખતે કહ્યું હતું કે વિવાહ સમયે છોકરીની ઉંમર ૧૭ વર્ષ ૬ મહિના અને ૮ દિવસની હતી અને તે યુવતીએ ૧૮ વર્ષ પહેલાં છૂટાછેડા માટે કોઈ યાચિકા દાખલ કરી ન હતી. એવામાં હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૩-બી હેઠળ તલાક માટે યાચિકા દાખલ કરી શકાય છે. બંને પક્ષોના બયાન નોંધીને કોર્ટે આપસી સહમતીથી બંનેને છૂટાછેડા આપ્યા. 

જેમ્સ બૉન્ડના રોલને અલવિદા કહેતાં ભાવુક થયા ડેનિયલ ક્રેગ; જુઓ વિડીયો
 

 હાઈ કોર્ટ મુજબ જ્યારે છોકરીની ઉંમર લગ્ન વખતે ૧૫ વર્ષથી ઓછી હોય અને ૧૮ વર્ષ પહેલાં તેણે વિવાહ રદ કરવાની યાચિકા કરી હોય ત્યારે જ છૂટાછેડાની પરવાનગી મળે છે. આ કેસમાં છોકરીએ વયસ્ક થયા બાદ યાચિકા દાખલ કરી હતી. એથી હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૩-બી હેઠળ આપસી સહમતીથી વિવાહ ખતમ કરવાની પરવાનગી મળી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More