મહિલાઓ અંગે તાલિબાન-RSSના વિચાર એક સમાન, આ દિગ્ગજ કોંગી નેતાએ મોહન ભાગવત પર સાધ્યુ નિશાન; જાણો શું કહ્યું 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર 

અફઘાનિસ્તાનમાં અંતરીમ સરકાર બન્યા બાદ તાલિબાને હાલમાં જ એક નિવેદન આપ્યું કે મહિલા મંત્રી ન બની શકે.

હવે આ નિવેદનના બહાને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ એક ટ્વીટ કરીને કહ્યું કે તાલિબાન કહે છે કે મહિલાઓ મંત્રી બનાવવા લાયક નથી. મોહન ભાગવત કહે છે કે મહિલાઓએ ઘર પર જ ગૃહસ્થી ચલાવવી જોઈએ. શું વિચારોમાં સમાનતા છે?

દિગ્વિજય સિંહે સવાલ કર્યા છે કે શું આરએસએસ અને તાલિબાની મહિલાઓને લઈને એક જેવા વિચાર છે?

અત્રે ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અને અવાર નવાર પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. 

હલકી માનસિકતા: સરકારમાં મહિલાઓની ભાગીદારીને લઈને તાલિબાની પ્રવક્તાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More