નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા ફરી એકવાર લંબાવાઈ, જાણો નવી તારીખ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

કોરોના મહામારી સામે આવી રહેલી સમસ્યાઓને જોતા સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.

નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સીબીડીટી એ વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન અને વિવિધ ઓડિટ રિપોર્ટ્સ ભરવાની નિયત તારીખો લંબાવી છે.

અગાઉ છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 થી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારો દ્વારા નોંધાયેલી મુશ્કેલીઓ અને આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ આકારણી વર્ષ 2021-22 માટે ઓડિટના વિવિધ અહેવાલોને ધ્યાનમાં લેતા, સીબીડીટીએ આ ઉપરોક્ત નિર્ણય કર્યો છે.

અગાઉ છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 થી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય વ્યવહારો અથવા ચોક્કસ સ્થાનિક વ્યવહારોમાં પ્રવેશતા વ્યક્તિઓ દ્વારા એકાઉન્ટન્ટ તરફથી અહેવાલ રજૂ કરવાની નિયત તારીખ 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે.

અગાઉ તેને 31 ઓક્ટોબર 2021 થી વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી હતી.

સહકારી બેંક છેતરપિંડી કેસમાં શિવસેનાના આ નેતા ઇડીના રડાર પર, પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More