અફઘાનિસ્તાનમાં ભારતનું રેસ્ક્યુ મિશન પૂર્ણ થયું, વાયુસેનાના વિમાનો તેમના બેઝ પર પાછા ફર્યા ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

મંગળવાર

અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત કર્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રેસ્ક્યૂ માટે ઉપયોગમાં લેવાયેલા ભારતીય વાયુસેનાના સી-17 અને સી-130 વિમાનો પોતાના બેઝ પર પાછા આવી ચુકયા છે.

ભારતે પોતાના કેટલાક વિમાનોને તાજિકિસ્તાનમાં આવેલા એરબેઝ પર તૈનાત કરાયા હતા. આ વિમાનોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાંથી લોકોને ભારત પાછા લાવવા માટે કરાયો હતો.

રેસ્ક્યુ મિશન માટે સાથે સાથે એર ઈન્ડિયાના વિમાનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર આ દરમિયાન અમેરિકા અને તાજાકિસ્તાન જેવા વિવિધ દેશોના સંપર્કમાં હતી. 

બહુ તનાવપૂર્ણ સ્થિતિમાં ભારતે હજારો લોકોને અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવા માટેનુ મિશન પાર પાડ્યુ હતુ.

ભયાનક અકસ્માત : રાજસ્થાનમાં શ્રીબાલાજી પાસે અકસ્માતમાં મધ્યપ્રદેશના આટલા લોકોના ઘટનાસ્થળે નિપજ્યા મોત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More