નાશિક પોલીસ કમિશનરનું બયાન : નારાયણ રાણેની ધરપકડ માટે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનની મંજૂરીની જરૂર નથી, આ છે જોગવાઈ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ નારાયણ રાણે સામે નાશિકમાં ગુનો નોંધાયો છે. હવે તેમની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. એથી ભડકી ગયેલા નારાયણ રાણેએ એવો સવાલ કર્યો છે કે ધરપકડ કરવા હું શું સામાન્ય માણસ છું?  ધરપકડનો આદેશ કાઢનારા શું રાષ્ટ્રપતિ છે? 

નારાયણ રાણે દેશના માનદ પ્રધાન છે એથી તેમની ધરપકડ કાયદેસર પેચ થઈ શકે છે. એથી પ્રશ્ન એવો નિર્માણ થયો છે કે લોકલ પોલીસ તેમની ધરપકડ કરી શકે  કે નહીં? આ સામે નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું છે કે નારાયણ રાણે રાજ્યભાના સાંસદ છે,એથી તેમની ધરપકડ બાદ રાજ્યસભાના  અઘ્યક્ષ રહેલા ઉપરાષ્ટ્રપતિને એ બાબતે માહિતી આપવામાં આવશે. એ સાથે જ ઇન્ટેલિજન્સ બ્યુરો, SIT, જિલ્લાદંડાધિકારી, ન્યાય દંડાધિકારી તમામ લોકોને નિયમ મુજબ માહિતી આપવામાં આવશે.

આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો

બંધારણ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને સામે ક્રિમિનલ કેસમાં ધરપકડની કાર્યવાહી કરી શકાતી નથી. બાકીના લોકો માટે બંધારણમાં આ જોગવાઈ નથી. કાયદાકીય નિયમ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. તેમની ધરપકડની આવશ્યકતા કેમ નિર્માણ થઈ એની સંપૂર્ણ માહિતી આદેશમાં જણાવવામાં આવી છે.
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More