હવે શ્રદ્ધાળુઓ મા ગંગા અને બાબા વિશ્વનાથના એક સાથે કરી શકશે દર્શન, અહીં બનાવવામાં આવશે ‘ગંગા વ્યૂ ગેલેરી’ ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઓગસ્ટ, 2021

બુધવાર

વિશ્વેશ્વર મહાદેવ અને પતિત પાવન ગંગાને એક સાથે જોવાનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે. 

જલસેન અને મણિકર્ણિકા વચ્ચે બનેલા ભવ્ય દ્વારથી ગંગામાં સ્નાન કર્યા બાદ મંદિરમાં પ્રવેશતા ભક્તો કાશી વિશ્વનાથ ધામની મધ્યમાં આવેલા મંદિર ચોકમાંથી ગંગાના દર્શન કરી શકશે.

કાશી વિશ્વનાથ ધામમાં ગંગા વ્યૂ ગેલેરી આશરે 50 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવશે, જે ભક્તોની આસ્થાને વધુ મજબૂત કરશે. 

મંદિર ચોકમાં લગભગ 10 ચોરસ મીટરમાં તૈયાર થનારી ગંગા વ્યૂ ગેલેરી એવી જગ્યા હશે, જ્યાં એક બાજુ બાબા વિશ્વનાથનો દરબાર હશે અને બીજી બાજુ ગંગાનો અવિરત પ્રવાહ હશે.

આ સાથે જલસેન ઘાટના ઉપરના ભાગમાં ગંગા વ્યૂઇંગ ગેલેરી પણ તૈયાર કરવામાં આવી રહી છે. 

1200 ચોરસ મીટરમાં તૈયાર થઈ રહેલી આ ગેલેરીમાંથી ભક્તો ગંગાની લહેરો જોઈ શકશે. અહીં ફૂડ કોર્ટની સાથે સાથે ભક્તોને ગંગાની લહેરો જોવા માટે પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે.

શેરબજારમાં તેજીનો દોર યથાવત: પહેલીવાર 56 હજારની ઉપર ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટીએ પણ બનાવ્યો રેકૉર્ડ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More