વાયુસેનાના વિમાનમાં કાબુલથી બચાવી લવાયા 120 ભારતીયો, જામનગર પહોંચતાં જ લગાવ્યા ભારત માતા કી જયના નારા; જુઓ વિડિયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

મંગળવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સાથે જ પરિસ્થિતિ હાથની બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખાસ કરીને કાબુલમાં ફસાઈ ગયેલા ભારતીય નાગિરકો જ નહીં, પણ સ્થાનિક નાગરિકો પણ ત્યાંથી બહાર નીકળવાના પ્રયાસમાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ પોતાના નાગરિકો અને રાજદ્વારીઓ સ્વદેશ પાછા લાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. એ પ્રયાસ હેઠળ આજે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાં ફસાયેલા 120 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલ્યો, હવે અહીં ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ ; ખેડૂતોને કરી આ અપીલ 

કાબુલથી ઊપડેલુ વાયુસેનાનું વિમાન જામનગર ઍરપૉર્ટ પર સવારના 10.45 વાગ્યે લૅન્ડ થયું હતું. સ્વદેશ સહીસલામત પાછા ફરવાનો આનંદ તમામ ભારતીયોના  મોં પર જોવા મળ્યો હતો. ઍરપૉર્ટ પર ઊતરતાંની સાથે જ ભારત માતા કી જય, જય હિંદ અને વંદે માતરમના નારા સાથે ઍરપૉર્ટને તેમણે ગજવી નાખ્યું હતું. બચાવી લેવામાં આવેલા મોટા ભાગના લોકો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને અન્ય સરકારી ઑફિસમાં તેમ જ સરકારના જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરનારા લોકો છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More