કોરોના મહામારીને નિયંત્રણમાં રાખવા આ પર્યટન રાજ્યએ 23 ઓગસ્ટ સુધી કોવિડ કરફ્યુ લંબાવ્યો ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

સોમવાર

ગોવા સરકારે કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી કોરોના કરફ્યુ લંબાવ્યું છે.  

કરફ્યુ દરમિયાન રાજ્યમાં જાહેર કાર્યક્રમોની સંખ્યા 23 ઓગસ્ટ સુધી મર્યાદિત રહેશે. 50 ટકા લોકો લગ્ન જેવા જાહેર કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. તે જ સમયે, સરકારી કચેરીમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ રહેશે.

રાજ્યમાં પ્રવેશતા લોકો, ખાસ કરીને કેરળથી આવતા લોકો માટે RT-PCR નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ લેવો ફરજિયાત છે. 

આ સિવાય રાજ્ય સરકારે નિર્દેશ આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં મહત્તમ સંખ્યામાં તપાસ હાથ ધરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ વધતાં જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પહેલી વાર 9 મેના કરફ્યુ લાદવામાં આવ્યું હતું. ત્યારથી આને કેટલીય વાર વધારવામાં આવી રહ્યું છે. 

શક્તિશાળી ભૂકંપે આ કેરેબિયન દેશમાં મચાવી તબાહી, અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત, સેંકડો લોકો થયા ઘાયલ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More