ચીની સૈનિકોને ધુળ ચટાવનારા ITBPના જવાનોનું કરાશે સન્માન, સ્વતંત્રતા પર્વ નિમિત્તે કુલ આટલા જવાનોને મળશે વીરતા પુરસ્કાર: જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

દેશના 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 1380 પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના 23 જવાનો પણ સામેલ છે. 

આ પૈકીના 20 જવાનો ગયા વર્ષે ગલવાન ખીણમાં ચીની સેના સાથે થયેલા સંઘર્ષમાં સામેલ હતા. ચીનને ધૂળ ચટાવનારા આ જવાનોને વીરતા પદક આપવામાં આવનાર છે.

આઈટીબીપીનુ કહેવુ છે કે, જવાનોને બહાદુરી માટે અત્યાર સુધીમાં અપાયેલા આ સૌથી વધારે વીરતા પદક છે. 

ગત 15-16 જૂન,2020ની રાતે ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.  

જોકે તેની સામે ભારતીય જવાનોએ ચીનને યાદ રહી જાય તેવો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ જવાનોમાં આટીબીપીના જવાનો પણ સામેલ હતા. 

વીરતા માટે 628 મેડલ, વિશિષ્ટ સેવા માટે 88 મેડલ અને પ્રશંસનીય સેવા માટે 662 પોલીસ મેડલ આપવામાં આવશે.

આ પૈકી સૌથી વધારે 256 મેડલ જમ્મુ કાશ્મીર પોલીસના ફાળે ગયા છે, સીઆરપીએફને 151, આઈટીબીપીને 23, ઓરિસ્સા પોલીસને 67, મહારાષ્ટ્ર પોલીસને 25 અને છત્તીસગઢ પોલીસને 20 મેડલ આપવામાં આવનાર છે.

વીર જવાનોને 15 ઓગસ્ટ પહેલા મળી મોટી સફળતા: જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પરના હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશના આટલા આતંકવાદીની કરી ધરપકડ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More