જય બજરંગ બલી! ગુજરાતના આ શહેરના 108 મંદિરોમાં લાઉડ સ્પીકરથી દિવસમાં 2 વાર થશે હનુમાન ચાલીસાનો પાઠ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

શુક્રવાર 

ગુજરાતમાં હવે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. 

રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર વડોદરામાં 108 મંદિરો લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાનો પાઠ અને આરતી કરવામાં આવશે. 

આ અનોખી પહેલ જિલ્લામાં એક સ્થાનિક સંસ્થા 'મિશન રામ સેતુ' દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પહેલ શરૂ કરવાનો હેતુ કોરોના રોગચાળાને જોતા, સરકારની ઘણી માર્ગદર્શિકાઓ અને પ્રતિબંધોને કારણે, લોકોને મંદિરો અથવા ગીચ સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિના ના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ હતું. 

કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના આ નેતાના ઘર પર ગ્રેનેડથી કર્યો હુમલો, 4 વર્ષના બાળકનું મોત અને 7 ઘાયલ ; સેનાનું સર્ચ ઓપરેશન જારી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More