મુંબઈમાં કોરોના રસીની ભારે તંગી. આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે    

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓગસ્ટ, 2021

ગુરુવાર

મુંબઈમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ મુંબઈમાં રાજ્ય સરકાર અને બીએમસી દ્વારા સંચાલિત કેન્દ્રો પર સામે રસીકરણ થશે નહીં.

નાગરિક સંસ્થાએ જણાવ્યું કે 14 ઓગસ્ટથી ડ્રાઇવ ફરી શરૂ થશે, કારણ કે 12 ઓગસ્ટના રોજ રસીનો નવો સ્ટોક આવે તેવી અપેક્ષા છે અને બીજા દિવસે તમામ મહાનગરપાલિકા અને સરકાર સંચાલિત કેન્દ્રોમાં વહેંચવામાં આવશે.

આ જ મહિનામાં આ બીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કર્યું છે. અગાઉ, તેણે 5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More