ચિરાગ પાસવાનને મળ્યો મોટો ઝટકો, કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા બાદ જમુઇ સાંસદ ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો લાગ્યો છે. 

કેન્દ્ર સરકારે ચિરાગને 12 જનપથ સ્થિત તેમના પિતાના નામે ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય અંતર્ગત આવતા ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે 14 જુલાઇએ બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી. 

જોકે, ચિરાગ પાસવાને બંગલો ખાલી કરવા માટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય પાસે થોડા વધુ સમયની માંગ કરી હતી પરંતુ તેમણે કોઇ રાહત મળી નથી

ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાક વર્ષથી 12 જનપથ સ્થિત આ સરકારી બંગલામાં રહેતા હતા. ગત વર્ષે તેમનું નિધન થયુ હતું.  

હર હર મહાદેવ! શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાને ચડાવાઈ આટલી ધજાજી, 30 હજારથી વધુ શિવભક્તોએ કર્યાં દર્શન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More