164
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા બાદ જમુઇ સાંસદ ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો લાગ્યો છે.
કેન્દ્ર સરકારે ચિરાગને 12 જનપથ સ્થિત તેમના પિતાના નામે ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય અંતર્ગત આવતા ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે 14 જુલાઇએ બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી.
જોકે, ચિરાગ પાસવાને બંગલો ખાલી કરવા માટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય પાસે થોડા વધુ સમયની માંગ કરી હતી પરંતુ તેમણે કોઇ રાહત મળી નથી
ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાક વર્ષથી 12 જનપથ સ્થિત આ સરકારી બંગલામાં રહેતા હતા. ગત વર્ષે તેમનું નિધન થયુ હતું.
You Might Be Interested In