લો બોલો! આ રાજ્યમાં હવે સિનિયર ઑફિસરોના વારસદારોને પણ સરકારી નોકરી મળશે; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

બુધવાર

મહારાષ્ટ્રમાં હવે A અને B કૅટેગરીમાં આવતા સરકારી અધિકારીઓના વારસદારોને પણ હવે સરકારી નોકરી મળશે. હાલ ફક્ત C અને D ક્લાસના અધિકારી અને કર્મચારીઓ માટે જ અનુકંપા નોકરી ધોરણ અમલમાં છે, જે અંતર્ગત તેમના વારસોને તેમના મૃત્યુ બાદ સરકારી નોકરી મળે છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?

મંગળવારે થયેલી કૅબિનેટ બેઠકમાં આ મુદ્દે સરકારે ચર્ચા કરી હતી. બહુ જલદી એના પર નિર્ણય લેવામાં આવવાનો છે. સરકારી નોકરીમાં રહેલા અધિકારીઓ મૃત્યુ પામે અથવા ગંભીર બીમારી અને ઍક્સિડન્ટને કારણે સરકારી નોકરી કરવામાં અસમર્થ જાહેર થવાથી તેમને નોકરીમાંથી રિટાયર્મેન્ટ લેવું પડે છે. આવા સંજોગોમાં  તેમના પરિવારને આર્થિક મદદ મળે એ ઉદેશ્યથી 1976ની સાલથી અનુકંપા ધોરણે કર્મચારીના વારસને નોકરી આપવામાં આવે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More