‘પીપલ્સ પદ્મ’ પુરસ્કાર માટે વડાપ્રધાન મોદીની નવી પહેલ : હવે લોકો પણ કરી શકશે નોમિનેટ, જાણો કઈ રીતે

by Dr. Mayur Parikh

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ એવોર્ડ્સને આ વર્ષે ‘પીપલ્સ પદ્મ’ એવોર્ડ તરીકે રજૂ કરવામાં આવશે. 

આ સંબંધમાં પીએમ મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. 

સાથે જ વડાપ્રધાને પદ્મ પુરસ્કારોની વેબસાઈટ લીંક પણ આપી છે. જ્યા લોકો કોઈ પણ પ્રેરણાદાયી વ્યક્તિને નોમિનેટ કરી શકશે. 

આ ઉપરાંત સરકારે આ વેબસાઈટ પર સેલ્ફ નોમિનેશનનો વિકલ્પ પણ આપેલો છે. 

આ નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.

ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી અને દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં વેપાર-ધંધામાં પૂરેપૂરી છૂટ આપવામાં આવશેઃઆરોગ્ય પ્રધાનનો સૂર બદલાયો જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More