લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા મુંબઈગરાના જાતજાતના તિકડમ, 60 ટકા નકલી આઇ-કાર્ડ; જાણો વિગત ..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જુલાઈ 2021

શનિવાર

મુંબઈમાં સામાન્ય નાગરિકોને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ નથી. એથી કામ પર ગમે તે રીતે પહોંચી જવા લોકો હવે ટ્રેનમાં પ્રવાસ કરવા બનાવટી આઇ-કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવેના કહેવા મુજબ હાલ પિક અવર્સમાં લોકલ ટ્રેનમાં 60 ટકા પ્રવાસીઓ બનાવટી આઇ-કાર્ડ સાથે પ્રવાસ કરી રહ્યા છે. આ લોકોને ટ્રેનમાં ગેરકાયદે પ્રવાસ કરતાં રોકવા મહારાષ્ટ્ર સરકાર ફરી QR કોડ સિસ્ટમ અમલમાં લાવવાની છે. એ માટે યુનિવર્સલ ટ્રાવેલ પાસ સિસ્ટમ અલમમાં લાવવાની છે.

મોટા ભાગના લોકો ફાર્મસી, મેડિકલ અથવા ચૅરિટેબલ હૉસ્પિટલના આઇ-કાર્ડ પર ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન મોટા ભાગના આઇ-કાર્ડ બનાવટી નીકળ્યા હતા. બુકિંગ કાઉન્ટરો પર પાસ અથવા ટિકિટ લેતાં સમયે ક્રૉસ ચેક કરવા દરમિયાન તેઓ સાચી માહિતી આપી શકતા નથી. છતાં તેમને પાસ ટિકિટ મળી જતાં હોય છે.

રેલવેનો અજબ કારભાર, ટ્રેક પર દોડવા ની જગ્યાએ મુંબઈ વાસીઓ માટે બનેલી ૧૩ એસી લોકલ કાર શેડ માં ધૂળ ખાય છે; જાણો વિગત

બનાવટી આઇ-કાર્ડ સાથે પ્રવાસ કરનારા લોકોને રોકવા માટે સરકારે યુનિવર્સલ  ટ્રાવેલ પાસ સિસ્ટમ અમલમાં લાવી રહી છે. જેમાં હવે ટ્રેનમાં પ્રવાસ કરવા QR કોડ આપવામાં આવશે. તેમ જ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવા બાબતે વિચાર ચાલી રહ્યો છે. વેક્સિનના ડોઝ લીધા છે કે નહીં એની માહિતી આધાર કાર્ડ પરથી મળી શકશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More