શું વાત છે!! કોરોના ગયો અને પરપ્રાંતીય પ્રવાસીઓ મુંબઈ ભણી દોટ મૂકી. આટલા લાખ લોકો આવી ગયા. જાણો વિગત.

by Dr. Mayur Parikh

કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને કોરોના પ્રતિબંધ હટાવવામાં આવતા પરપ્રાંતીય મજૂરો પરત મુંબઈ ફરી રહ્યા છે.

મે અને જૂન મહિનામાં મુંબઈમાં મેઇલ અને એક્સપ્રેસ ટ્રેન દ્વારા 28 લાખ 26 હજાર 226 મુસાફરો આવ્યા છે. 

રેલ્વે પ્રશાસનના જણાવ્યા અનુસાર મોટાભાગના મુસાફરો મધ્ય રેલ્વેથી પહોંચ્યા હતા.

જોકે માર્ચ અને એપ્રિલ મહિનામાં પોતાના ગામેથી મુંબઇ આવનારા લોકોની સંખ્યા ઓછી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ફેબ્રુઆરીમાં કોરોનાનો વ્યાપ વધતાં માર્ચ મહિનાના અંતથી મુંબઈ સહિત રાજ્યભરમાં પ્રતિબંધો લાદ્યતા કામદારો તેમના પરિવાર સાથે તેમના વતન જવા માટે રવાના થયા હતા.

સાવધાનઃ ચોમાસામાં રસ્તા પર અને હોટલમાં ખાતા પહેલા વિચાર કરજો, આ બિમારીએ મુંબઈ માં દસ્તક દીધી…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More