વેક્સિન સંદર્ભે આખા દેશને ભૂલી જાઓ, બધા સાંસદોએ પણ પૂરી વેક્સિન લીધી નથી. હવે સંસદ સેશનનું શું થશે? જાણો વિગત.

by Dr. Mayur Parikh

લોકસભાના 540 સભ્યોમાંથી, લગભગ 403 સભ્યોએ સંસદના ચોમાસા સત્ર પહેલાં કોરોના રસીના બંને ડોઝ લીધા છે. 

ભારતીય સંસદના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે કેટલાક સાંસદો હજુ સુધી તેમનો બીજો ડોઝ લઈ શક્યા નથી, કારણ કે તેઓને પ્રથમ ડોઝ લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો હતો. 

અન્ય 30 સાંસદોએ અમને કોઈ માહિતી મોકલી નથી. જોકે અમે તેમની રસીકરણની સ્થિતિ જાણવા માટે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી સંસદ સત્રને મહામારીની અસર થઈ છે, ગયા વર્ષના બજેટ અને ચોમાસું સત્રને વહેલી તકે બોલાવવાની ફરજ પડી હતી.

 આ વર્ષે કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર રદ કરવું પડ્યું હતું. એ જ સમયે, જાહેર આરોગ્ય સંકટને કારણે 2020 નું શિયાળુ સત્ર સંપૂર્ણપણે રદ કરાયું આવ્યું હતું.

બોરીવલીના રાજેન્દ્ર નગર ખાતેના પુલનું કામ હવે રખડશે; પાલિકાની સ્થાયી સમિતિએ નવો પ્રસ્તાવ રદ કર્યો, જાણો વિગત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More