485
Join Our WhatsApp Channel
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 26 કરોડ લોકોનુ રસીકરણ કરી લીધુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, રસીકરણના 151માં દિવસે એટલે કે 15 જૂન સાંજે 7 વાગ્યા સુધીમાં 25,68,858 લોકોને રસી આપવામાં આવી છે.
જેમાંથી 21,98,144 લોકોને પ્રથમ ડોઝ અને 3,70,714 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે .
18 થી 44 વર્ષની વયના 4,49,87,004 લોકોને પ્રથમ ડોઝ અને 8,95,517 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.
You Might Be Interested In