254
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
ચોમાસામાં મુંબઈ શહેરમાં અનેક ઇમારતો પડી ગઈ અમુક જગ્યાએ દીવાલ ધરાશાયી થઈ ગઈ. આ તમામ જગ્યાએ સરકારી રાહત અને મદદ પહોંચી છે. અમુક જગ્યાએ સરકારે વળતર જાહેર કર્યું છે. બીજી તરફ વેપારીઓને અંગૂઠો દેખાડવામાં આવ્યો છે. વાત એમ છે કે વેપારીઓએ પ્રશાસનને અરજી કરી હતી કે ચોમાસાના રિપેરિંગ કામ માટે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ સરકારે આવા પ્રકારની કોઈ જ પરવાનગી આપી નહીં. એટલું નહિ જે દુકાનદારોએ દુકાન ખોલી તેને દંડ પણ ફટકારવામાં આવ્યો એવા અનેક કિસ્સા છે. હવે જ્યારે દુકાન ખોલવાની પરવાનગી મળી ત્યારે જોરદાર વરસાદને કારણે અનેક દુકાનદારોનો માલ ખરાબ થઈ ગયો છે.
આ તમામ દુકાનદારોને વળતર કોણ આપશે?
You Might Be Interested In