એક સમયે સૌથી વધુ વહેલ માછલીનો શિકાર થતો એ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હવે વહેલ માટે સૌથી વધુ સુરક્ષિત, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જૂન ૨૦૨૧

શનિવાર

એક સમયે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વહેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પ્રચલિત હતો. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ વર્ષે સરેરાશ 200થી વધારે વહેલ-શાર્કનો શિકાર સૌરાષ્ટ્રના દરિયાકિનારે થતો હતો. આજે એ જ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વહેલ-શાર્ક માટે સૌથી સુરક્ષિત વિસ્તાર બની ગયો છે. સાગરખેડુઓએ જાણે વહેલ-શાર્કને પોતાની દીકરી બનાવી દીધી છે.

ગુજરાતમાં ૨૦૦૧ દરમિયાન આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકાયો હતો ત્યાર બાદ માછીમારો જાળમાં ફસાયેલી વહેલ-શાર્કને પોતાની મોંઘી જાળ કાપીને પણ છોડી મૂકતા હતા. છેલ્લાં ૧૫ વર્ષમાં એક પણ વહેલ-શાર્કનો શિકાર થયો નથી. આ સમયગાળામાં ૮૦૦ જેટલી જાળમાં ફસાયેલી માછલીઓને છોડી મૂકવામાં આવી હતી. ઉપરાંત મોરારીબાપુએ પણ અપીલ કરી હતી કે વહેલ-શાર્ક તો બચ્ચાંને જન્મ આપવા માટે પોતાના પિયર આવતી દીકરી જેવી છે. દીકરીને થોડી મરાય.

પશ્ચિમ બંગાળમાં શરૂ થયો નવો ખેલ; હવે વેક્સિન સર્ટિફિકેટ પર મોદીની જગ્યાએ મમતાનો ફોટો, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વહેલ-શાર્ક માછલી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળે છે. દરિયાકાંઠે મોટા પ્રમાણમાં વિવિધ સૂક્ષ્મ દરિયાઈ જીવસૃષ્ટિ અને શેવાળ હોય છે. જે વહેલ-શાર્કનો મનપસંદ ખોરાક છે. વર્ષ 2012થી માછીમારો પોતે વહેલ-શાર્કને જાળમાંથી બચાવવાના ફોટો વન વિભાગમાં જમા કરાવી શકે છે. તેમને રૂ. 25 હજાર સુધીનું વળતર પણ ચૂકવાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More