જે પોલીસ ન કરી શકી તે કોરોના કરશે. અનેક મોટા નક્સલવાદી નેતાઓને કોરોના થયો…

34 Naxals surrender in Chhattisgarh’s Sukma, four having bounty of Rs 1 lakh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન ૨૦૨૧

ગુરુવાર

તેલંગાણાના વારંગલ અર્બન જિલ્લામાં ધરપકડ કરાયેલા ટોચના નક્સલવાદીએ ખુલાસો કર્યો છે કે માઓવાદીના ડઝન જેટલા ટોચના નેતાઓ કોરોના સંક્રમિત છે. કોવિડથી ચેપગ્રસ્ત નક્સલવાદી નેતાઓમાં કેન્દ્રીય સમિતિના બે સભ્યો – કટકમ સુદર્શન ઉર્ફે આનંદ અને ટીપ્પરી થિરૂપતિ ઉર્ફે દેવજ શામેલ છે. પોલીસ સમક્ષ આ વાતનો ખુલાસો દંડકારણ્ય વિશેષ ઝોન વિભાગીય સમિતિના સચિવ ગદદમ મધુકરે કર્યો હતો. મંગળવારે જ્યારે તે કોવિડની સારવાર માટે હનમકોંડા શહેર જઈ રહ્યો હતો ત્યારે વારંગલમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

તેલંગાણાની સરહદ નજીક છત્તીસગઢના જંગલોમાં છુપાયેલા કેટલાક નક્સલવાદી નેતાઓ વાયરસનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. આનાથી પોલીસની શંકાની પુષ્ટિ થઈ છે કે કોવિડે નક્સલવાદીના કેડરમાં તાંડવ મચાવી દીધો છે. વારંગલ પોલીસ કમિશનર, તરૂણ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે મધુકર અને કુરિયર (મેસેંજર અથવા નોકર સાથે મુસાફરી કરનારા)ની મંગળવારે મુલુગુ વિસ્તાર નજીક નાકાબાંધી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. કોવિડથી પીડિત મધુકર સગીર કુરિયરની મદદથી સારવાર માટે વારંગલ આવ્યો હતો.

આવી છે શિવસૈનિક મેયર? મુંબઈવાસીનો સવાલ : કૉન્ટ્રૅક્ટ કોને આપ્યો? કિશોરી પેડણેકર : તારા બાપને! જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મધુકર પોલીસ કર્મચારીઓની હત્યા અને તેમના હથિયારો છીનવવા સહિતના અનેક ગુનાઓમાં સામેલ છે. પોલીસે બંનેની ધરપકડ કરી 88,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. બાદમાં મધુકરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધુકરને હનમકંડામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *