આફ્રિકન સિંહની ગર્જના હવે મુંબઈમાં પહોંચશે અને બીજા અનેક જાનવરો પણ મુંબઈ પહોંચવાની તૈયારીમાં છે; જાણો મુંબઈના રાણીબાગનાં નવાં આકર્ષણો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

શનિવાર

દેશ-વિદેશના પર્યકોમાં મુંબઈના ભાયખલામાં આવેલું વીરમાતા જીજાબાઈ ઉદ્યાન  બહુ માનીતું છે. આ રાણીબાગમાં હવે નવા મહેમાનનું આગમન થવાનું છે. આગામી દિવસોમાં અહીં આફ્રિકાથી સફેદ સિંહ લાવવામાં આવવાનો છે. એ સાથે જ ચિત્તા, ચિંપાઝી, લેસર ફ્લેમિંગો, ઈમૂ, બ્લૅક જેગ્વાર, મંદ્રીલ મંકી, હિપ્પો પોટમસ જેવા નવા પશુ-પંખીઓ પણ લાવવામાં આવવાનાં છે.

રાણીબાગના આ નવા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવાં પાંજરાં બનાવવામાં આવશે. એ માટે પાલિકા 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. પર્યટકો તેમને જોઈ શકે એ માટે ગૅલેરી પણ બનાવવામાં આવવાની છે. રાણીબાગમાં નવા રસ્તા, આર્કષક ફૂટપાથ, આર્ટિફિશિયલ  

મુંબઈ શહેરમાં કોરોના નિયત્રંણ હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા

લૅક પણ બાંધવામાં આવશે. એ ઉપરાંત આગામી દિવસોમાં અહીં પ્રાણીઓ માટે હૉસ્પિટલ બાંધવામાં આવવાની છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More