ફૅશનજગતની ‘ક્વીન’ ગણાતી આ હસીનાનું 27 વર્ષની વયે જીવલેણ બીમારીથી થયું નિધન ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 મે 2021

ગુરુવાર

ઘણી સંસ્થાઓ દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને એઇડ્સ વિશે જાગ્રત કરવા માટે કામ કરી રહી છે. એઇડ્સ જેવો જીવલેણ રોગ અત્યાર સુધીમાં સેંકડો લોકોને ભરખી ગયો છે. એમાંથી એક છે પ્રખ્યાત અમેરિકન મૉડલ જિયા સારંગી.

જિયા સારંગીને મૉડલિંગની દુનિયાની રાણી માનવામાં આવતી. તેનો જન્મ 29 જાન્યુઆરી, 1960ના રોજ ફિલાડેલ્ફિયામાં થયો હતો. તેના પિતા રેસ્ટોરાંના માલિક હતા અને માતા ગૃહિણી હતી. જ્યારે જિયા 11 વર્ષની હતી ત્યારે તેનાં માતા-પિતા એકબીજાથી અલગ થઈ ગયાં હતાં. માતા-પિતાના છૂટાછેડા પછી, જિયા તેના પિતા સાથે રહેવા લાગી. તે તેના પિતાના રેસ્ટોરાંમાં મદદ કરતી હતી. તેણે 16 વર્ષની વયે મૉડલિંગની શરૂઆત કરી હતી. એ સમયે મૉડલિંગની દુનિયા સોનેરી મૉડલોથી ભરેલી હતી અને જિયાના રૂપમાં આ ઉદ્યોગને એક નવો ચહેરો મળ્યો.

હવે ઍન્ટીબૉડી કૉક્ટેલ દવા મારફતે થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માગી મજૂરી

જ્યારે જિયાએ મૉડલિંગની દુનિયામાં પહેલી વાર પગ મૂક્યો ત્યારે તે ખરેખર એક નવો ચહેરો હતો. તે  મેક-અપ કર્યા વગર જ લોકોની સામે આવી અને જોતજોતામાં તે અમેરિકાની સુપર મૉડલ્સમાંની એક બની ગઈ. દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. દરેક છોકરી તેમના જેવી બનવા માગતી હતી. 18 વર્ષની ઉંમરે જિયા સારંગી એ સમયે સૌથી વધુ વેતન મેળવનારી મૉડલ બની હતી. એ સમયે તેની વાર્ષિક કમાણી એક મિલિયન ડૉલર હતી. આ જ કારણ છે કે ફૅશનજગતમાં લોકો તેને વિશ્વની પ્રથમ સુપર મૉડલ માને છે.

BMC કમિશનરનું નાક કપાયું, દાવો કર્યો હતો કે PFIZER કંપની વેક્સિન આપશે; પણ કંપનીએ આ નિવેદન આપ્યું….. જાણો વિગત

જિયા સારંગી ઝિંદાદિલ વ્યક્તિ હતી. તેના તેજસ્વી વ્યક્તિત્વથી લોકો તેની તરફ ચોક્કસપણે આકર્ષિત થયા, પરંતુ તેના વલણથી તેને કામથી દૂર ખસેડવાનું શરૂ થયું. તેને નાની ઉંમરે જ ડ્રગ્સની લત લાગી ગઈ હતી. ધીરે-ધીરે તેની કારકિર્દી ઓછી થવા લાગી. ડ્રગ્સ સાથે ડ્રાઇવિંગ કરવાના આરોપમાં 1981માં તેની ધરપકડ કરવામાં આવી હતી. 1985માં, તેને ન્યુમોનિયાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોને તેના શરીરમાં HIVનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. એ પછી ટૂંક સમયમાં, 18 નવેમ્બર, 1986 ના રોજ તેનું અવસાન થયું. ફૅશનજગતમાં કોઈએ તેના મૃત્યુ વિશે સાંભળ્યું ન હતું. એથી તેના અંતિમ સંસ્કારમાં તેના કોઈ સાથી હાજર ન હતા. જિયાના જીવન પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી જેમાં એન્જેલીના જોલીએ તેનું પાત્ર ભજવ્યું હતું.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More