383
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુની સુરક્ષા કૅબિનેટે ગાઝાપટ્ટીમાં 11 દિવસથી ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એકતરફા સંઘર્ષવિરામને મંજૂરી આપી છે.
હુમલાને રોકવા માટે અમેરિકા તરફથી દબાણ બનાવવા પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંઘર્ષ વિરામની જાહેરાત પર નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે તેમના સુરક્ષા પ્રધાનમંડળે ઇઝરાયલના સૈન્યપ્રમુખ અને અન્ય મુખ્ય સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ સંઘર્ષવિરામ પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો છે.
You Might Be Interested In