બાંદ્રાનું જમ્બો કોવિડ વેક્સિન સેન્ટર પૂરી રીતે બંધ કરાયું; વાવાઝોડાને લીધે નુકસાન પણ થયું; હવે આ સેન્ટર તત્કાળ નહીં ખૂલે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે 2021

મંગળવાર

મુંબઈ શહેર પર આવેલા વાવાઝોડાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ અગમચેતીના પગલારૂપે બાંદ્રાનું કોવિડ સેન્ટર બંધ કર્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેના તંબુ અને શામિયાણા ખોલી નાખ્યા હતા. માત્ર અમુક બાંધકામનો સામાન રાખવામાં આવ્યો હતો. હવે જ્યારે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે ત્યારે થયેલું નુકસાન દેખાઈ રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના આ વેક્સિન સેન્ટર પર અત્યારે કાગડા ઊડે છે. વેક્સિન સેન્ટર પર જે નાનો-મોટો સામાન રાખવામાં આવ્યો હતો એને વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ હવે આખા વેક્સિન સેન્ટરને નવેસરથી બાંધવું પડશે. આ પરિસ્થિતિમાં બાંદ્રાનું વેક્સિન સેન્ટર તાત્કાલિક ધોરણે ચાલુ થઈ જાય એવું લાગતું નથી. આ સેન્ટરને શરૂ કરતાં તૈયારી સ્વરૂપે થોડોક સમય લાગશે. વાવાઝોડાને કારણે મુંબઈનાં અન્ય વેક્સિન સેન્ટરોને પણ નુકસાન પહોંચ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More