મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

સોમવાર

 ભારતીય હવામાન વિભાગે એવી આગાહી જાહેર કરી છે કે આગામી ૨૪ કલાકની અંદર ભારતના પશ્ચિમી કિનારે બનેલું વાવાઝોડું ખૂબ જ ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે.

ભારતના પશ્ચિમ કાંઠા ને ઘમરોળતું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યુ

આગાહી મુજબ ગુજરાતના પશ્ચિમ છેડે ૧૮મી મેના રોજ સવારના સમયે આ વાવાઝોડું ત્રાટકશે.

હાલ વાવાઝોડું મુંબઈના દરિયાકાંઠાથી નજીક છે અને જે જગ્યાએ વાવાઝોડાની અસર છે ત્યાં 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More