કમાલ છે!! પંદરમી તારીખે ભારતના પશ્ચિમી કિનારા પર વાવાઝોડું ત્રાટકશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

ભારતના પશ્ચિમ કિનારા પર અત્યારે એક નવી સમસ્યા આકાર લઇ રહી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો એક પટ્ટો તૈયાર થયો છે જે અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ ઓછા દબાણ નો પટ્ટો જે વાવાઝોડામાં પરિવર્તિત થયો છે તે 15 મેના રોજ પશ્ચિમ ભારતના પ્રદેશ પર ત્રાટકશે. એવી આગાહી કરવામાં આવી છે કે કોંકણ, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ સમુદ્રી તટ વિસ્તારમાં જોરદાર વરસાદ પડશે. તેમજ તીવ્ર ગતિથી પવન ફૂંકાશે. આ વાવાઝોડાને કારણે ચોમાસા પર શું અસર થશે તે જાણકારી હજી પ્રાપ્ત થઇ શકી નથી.

એલર્ટ થઈ જાઓ : ભારતમાં મળેલા કોરોનાના વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આંતરરાષ્ટ્રીય રીતે જોખમી ગણાવ્યો.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More