અયોધ્યામાં હિંદુ બહુમતિ ગામમાં રહેતો એક માત્ર મુસ્લિમ વ્યક્તિ પ્રધાન તરીકે ચૂંટાયો…

by Dr. Mayur Parikh

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે ૨૦૨૧

સોમવાર

ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. તેમાં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના રાજનપુર ગામમાં મુસ્લિમ પ્રધાને વિજય મેળવ્યો છે. ગામની ઓળખ હિંદુ બહુમતી મતદાતા તરીકે થાય છે. રાજનપુર ગામ હિન્દુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં પ્રધાનપદ જીતીને હાફિઝ અઝીમ ઉદ્દીને સાબિત કર્યું છે કે રાજનપુર ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહી છે. બહુમતી લોકો લઘુમતી વ્યક્તિને તેમના પ્રતિનિધિ તરીકે પણ પસંદ કરી શકે છે.

ચૂંટણી લડનાર ઘણા હિન્દુ ઉમેદવારો પણ પ્રધાનની ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ હિન્દુઓએ તેમના પ્રતિનિધિ તરીકે મુસ્લિમ વ્યક્તિને પસંદ કર્યો છે. હવે આ ગામની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે. હાફિઝ અઝીમુદ્દીન રાજનપુરમાં તેના પરિવાર સાથે એકલો રહે છે. રાજનપુર ગામમાં આ પરિવાર એકમાત્ર મુસ્લિમ પરિવાર છે. હિંમતથી હાફિઝ અઝીમુદ્દીને પ્રધાનનું ફોર્મ ભર્યું હતું અને તેમને અપેક્ષા પણ નહોતી કે હિન્દુ લોકો તેમને ગામમાં તેમના પ્રતિનિધિ તરીકે પસંદ કરશે. એક તરફ જ્યાં હિન્દુ-મુસ્લિમ તિરસ્કારના તણખા ઊડે છે, ત્યાં રાજનપુર ગામના લોકોએ નફરતભર્યા લોકોને જવાબદાર જવાબ આપ્યો છે.

ઉત્તર પ્રદેશની આ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના થયા મૃત્યુ

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે ગ્રામ પંચાયતની રચના અને ગામના પ્રધાન અને વિસ્તાર પંચાયત સભ્યોની શપથ મુલતવી રાખવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More