કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે 14 દિવસ કડક કર્ફ્યુની જાહેરાત કરી

by Dr. Mayur Parikh

આંધ્રપ્રદેશ સરકારે કોરોના ના વધતા જતા કેસોને રોકવા માટે 5 મેથી રાજ્યમાં 14 દિવસના કડક કર્ફ્યુની જાહેરાત કરી છે.

રાજ્યમાં હવે સવારના 6 થી બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યાર બાદ કર્ફ્યુ લાગુ પડશે. જોકે જરુરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ બોલવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે આંધ્રમાં રાતના 10 થી સવારના 5 સુધી તો નાઈટ કર્ફ્યુ અમલી જ છે. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા મુખ્યમંત્રીએ વધારે કડક પ્રતિબંધો લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More