206
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
એક કહેવત છે 'છાશ છાગોળે, ભેંસ ભાગોળે, અને ઘરમાં ધમાધમ' કંઈક આવી જ હાલત મહારાષ્ટ્ર સરકારની છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને મંત્રી એવા નવાબ મલિકે એક તારીખથી મહારાષ્ટ્રની તમામ જનતાને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ગુસ્સો આવ્યો છે. પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નો વિરોધ કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ રીતે સરકારી નિર્ણયની જાહેરાત કરવાને કારણે પબ્લિસિટી મળે છે. આ યોગ્ય વાત નથી.
આમ વેક્સિનેશન શરૂ થાય કે ન થાય મોજુદા ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓની વચ્ચે ઝઘડા જરૂર શરૂ થઈ ગયા છે.
મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા
You Might Be Interested In