બોરીવલીમાં અનેક લોકોને મોલમાં એન્ટ્રી ન મળી. શા માટે?? જાણો અહીં….

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 માર્ચ 2021

   મુંબઈ શહેર એ વધતા જતા  કોરોના ના ભય હેઠળ છે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ એક અસરકારક અભિયાન શરૂ કર્યું છે.જેના અંતર્ગત બોરીવલી,કાંદિવલી અને દહિસરના મોલમાં ફરજિયાત પણે ટી સી આર ટેસ્ટ કરાવી.અને એના માટે જો કોઈ વ્યક્તિ એ ના પાડી, તો તેમને મોલમાં એન્ટ્રી આપવામાં આવી નહીં.

     બોરીવલી ના ઈન્દ્રપ્રસ્થ,મોક્ષ પ્લાઝા, અને મેટ્રો મોલ તેમજ દહિસરના ડી માર્ટ સાથે જ કાંદિવલીના ગૃોવેલ્સ મોલમાં આ ટેસ્ટિંગ ની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ટેસ્ટિંગ થી એક મોટો ફાયદો એ થયો છે કે જે વ્યક્તિ ને કોરોના થયો છે પરંતુ  તેનામાં કોરોના  કોઈ લક્ષણ નથી, મતલબ કે a symptomatic દર્દીઓને પણ ભાળ મળી છે,આથી તેમને બીજા લોકોમાં આ રોગ ફેલાવતા રોકી શકાય.

ઉત્તર મુંબઈમાં મહાનગરપાલિકાનું જોરદાર અભિયાન. મોલ, ફેરીયા, અને ભીડવાળી જગ્યાએ ટેસ્ટિંગ ફરજિયાત…

સૌથી વધારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને વિસ્તાર

    અંધેરી પશ્ચિમ 2601

    બોરીવલી 1742

    કાંદીવલી 1558

    અંધેરી પૂર્વ 1931

    મલાડ 1457

     મુંબઈગરાઓ, આ આંકડાને ધ્યાનથી વાંચજો અને સમયસર ચેતી જજો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More