મહારાષ્ટ્ર ના શિક્ષણ મંત્રી નો આદેશ. ફી વસૂલી કરવા માટે જે શાળા જબરદસ્તી કરશે ,તેની તપાસ થશે. જાણો વિગત….

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 માર્ચ 2021

      કોરોના કાળ દરેક વ્યક્તિ માટે ખરાબ નીવડ્યો છે.ખાસ કરીને પાલક માતા-પિતા. તેમણે આર્થિક અને સામાજિક સંકટોનો સામનો કરવો પડ્યો છે‌. તે છતાં આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એવી છે, જે બંધ હોવા છતાં પણ ફી વસૂલ કરવા માટે પાલકો પર જોર કરી રહી છે.

     આ સંદર્ભે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ખૂબ મહત્વપૂર્ણ પગલું લીધું છે.શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, શાળા બંધ હોવા છતાં ફી વસુલ કરવી અથવા લેટ ફી ભરવા માટે જો શાળા તરફથી દંડ વસુલ કરવામાં આવે તો, તેવી શાળાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

      હાલ એક તરફ શાળાઓ વર્ષ પૂરું થવાને આરે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યાં બીજી તરફ શિક્ષણ મંત્રીએ પાલકોને રાહત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ જોવાની વાત એ છે કે, કેટલી શાળાઓ આ કાયદાનું પાલન કરે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More