બોરીવલીના ગોયલ શોપિંગ સેન્ટરના વેપારીઓની હાલત કફોડી : એક તરફ વેપાર ઓછો બીજી તરફ ફેરીયાઓએ રસ્તા જામ કરી નાખ્યા.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 માર્ચ 2021

કોરોના કાળ જ્યારથી શરૂ થયો છે ત્યારથી શોપિંગ કોમ્પ્લેકસમાં દુકાન ધરાવતા વેપારીઓના ધંધા પાણી ઓછા થયા છે. તેમ છતાં વેપારીઓ મક્કમતાથી આગળ વધી રહ્યા છે. સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેને કારણે ઘરાકી વધવામાં અડચણ પડે છે.

આ પરિસ્થિતિમાં હવે બોરીવલીના ગોયલ શોપિંગ સેન્ટર ને એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શોપિંગ સેન્ટરની બહાર ફેરિયાઓ ઘણી મોટી સંખ્યામાં બેસે છે. જોવાની વાત એ છે કે આ ફેરિયાઓ હવે રસ્તાને પોતાની દુકાન સમજે છે. દાદાગીરીથી ફેરિયાઓએ ફૂટપાથ અને રસ્તાની કિનારીઓ પચાવી પાડી છે. પરિણામ સ્વરૂપ કોઈ વ્યક્તિને ગોયલ શોપિંગ સેન્ટરમાં જવું હોય તો રસ્તો પણ બંધ છે. આ સંદર્ભે મુંબઈ મહાનગર પાલિકાને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી, જેને કારણે વેપારીઓ નારાજ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More