પોસ્ટ ઓફિસમાં રોકડા જમા કરાવો છો? હવે આ ચાર્જીસ ભરવા માટે તૈયાર રહેજો.. જેમના પોસ્ટ ઓફિસમાં ખાતા છે તેમની માટે જરૂરી સમાચાર..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 માર્ચ 2021

૧ એપ્રિલથી ભારત દેશની પોસ્ટ ઓફિસમાં નવા કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. જે મુજબ રોકડા માં કામ કરનાર લોકોને હવે ચાર્જ આપવા પડશે. નવા કાયદા મુજબ ચાર મહિનામાં ચાર વખત મફત ટ્રાન્જેક્શન કરવા મળશે. ત્યારબાદ જો કોઈ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો તે માટે ૨૫ રૂપિયાની રકમ અથવા ૦.૨૫ ટકા આપવા પડશે. આ ઉપરાંત 25 હજાર જેટલી રકમ એક મહિનામાં રોકડ માં ઉપાડી શકાશે. તેનાથી વધુ પૈસા ઉપાડવા પર 25 રૂપિયા ચાર્જિસ અથવા ૦.૨૫ ટકા ચાર્જ આપવો પડશે. આ જ રીતે એક મહિનામાં વધુમાં વધુ બેંકમાં 10000 રૂપિયા કેશ નાખી શકાશે. તેથી વધુ કેશ નાખવા પર 0.50 ટકા ચાર્જ આપવા પડશે.

આમ પોસ્ટ ઓફિસ સાથે રોકડ વ્યવહાર કરનાર લોકોને હવે પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More