579
Join Our WhatsApp Channel
ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં ગ્લેશિયર ઓગળવાને કારણે તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
કથાકાર પૂ. મોરારિબાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો ના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલાવવાનો નિર્ણય કર્યો છે.
આ રાશી શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે.
હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.
You Might Be Interested In
