ઉત્તર પ્રદેશમાં ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ બનાનાર પરિવારનું ઘર કટ્ટરપંથીઓએ સળગાવ્યું. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021 

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં, લગભગ ત્રણ મહિના પહેલા હિન્દુ ધર્મ તરફ વળેલા મુસ્લિમ વ્યક્તિના જીવંત પરિવારને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ શનિવારે રાત્રે કેટલાક શખ્સો તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને પરિવારને અંદરથી બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. જોકે, પરિવારના કેટલાક લોકો કોઈક રીતે પાછળનો દરવાજો ખોલવામાં સફળ થયા અને ત્યાંથી તેમના બાળકો સાથે છટકી ગયા હતાં. 

આ અંગેની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી. ગામના સરપંચ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્યની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. 

નોંધનીય છે કે, ત્રણ મહિના પહેલા આ પરિવાર હિન્દુ ધર્મમાં ફેરવ્યો હતો. આ ગામનો રહેવાસી મોહમ્મદ અનવર લગભગ ત્રણ મહિના પહેલા હિંદુ ધર્મ તરફ પાછો વળ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને દેવ પ્રકાશ પટેલ રાખ્યું. તેણે તેમના બાળકોના નામ પણ દેવનાથ, દીનદયાળ અને દુર્ગા દેવી રાખ્યા. સપ્ટેમ્બર 2020 માં, વૈદિક વિધિઓ મુજબ, તે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More