ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 ડિસેમ્બર 2020
નેપાળમાં 2015 ના વિનાશક ભૂકંપને કારણે દેશને મોટુ જાન-માલનું નુકસાન થયું હતું. ભૂકંપ એટલો વિનાશક હતો કે નેપાળની ઘણી પ્રખ્યાત ઇમારતો પૂર્ણ રીતે તૂટી પડી, આ અકસ્માતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો. આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા હતા કે નેપાળમાં આવેલા ભૂકંપને કારણે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને પણ નુકસાન થયું છે. જો કે, નેપાળ સરકારે અફવાઓને રોકવા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ની ઘોષણા કરી છે. દેશના સર્વે વિભાગ દ્વારા 8 ડિસેમ્બરે કરવામાં આવેલી ઘોષણા મુજબ ભૂકંપના કારણે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને કોઈ નુકસાન થયું નથી.
વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ 8848.86 મીટર છે. ઉલ્લેખનીય છે કે નેપાળનો સર્વે વિભાગ છેલ્લા એક વર્ષથી માઉન્ટ એવરેસ્ટની સુધારેલી ઊંચાઈને માપવાનું કામ કરી રહ્યો છે. એક વર્ષની મહેનત પછી, નેપાળે વિશ્વની સામે પર્વતની યોગ્ય ઊંચાઈ ની ઘોષણા કરી છે.
નેપાળના વિદેશ પ્રધાન એ જણાવ્યું હતું કે નેપાળ સરકારે 2015 ના ભૂકંપ બાદ માઉન્ટ એવરેસ્ટની સુધારેલી ઉંચાઇને માપવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું. આ અભિયાન શરૂ કરતા પહેલા નેપાળ સરકારે આશા વ્યક્ત કરી હતી કે લેન્ડફોલ સહિતના અનેક કારણોને લીધે એવરેસ્ટની ઊંચાઈમાં તફાવત હોઈ શકે છે. જો કે જાહેર કરાયેલા આંકડા મુજબ એવરેસ્ટની ઊંચાઈ ઓછી નથી થઈ પરંતુ વધી છે. નેપાળના સર્વે વિભાગની ટીમ છેલ્લા એક વર્ષથી એવરેસ્ટની ઊંચાઈના સચોટ માપન માટે ડેટા એકઠી કરી રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર, 1954 માં સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા માપવામાં આવેલા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર હતી, જ્યારે 1975 માં ચાઇનીઝ સર્વેક્ષણકર્તાઓએ પર્વતની ઊંચાઈ માપી, ત્યારે તે સમુદ્ર સપાટીથી 8,848.13 મીટર જેટલી હતી. ઘણા મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને માપવા માટે ચીને પણ નેપાળને ટેકો આપ્યો છે. 13 ઓક્ટોબર 2019 ના રોજ, પર્વતની ઊંચાઈને માપવા માટે ચીન અને નેપાળ વચ્ચે પરસ્પર કરાર થયો હતો. આ કરાર મુજબ નેપાળ અને ચીન ઝુંમલાંગ્મા અને સાગરમાથા પર્વતની ઊંચાઈ સંયુક્ત રીતે જાહેર કરશે. (તમારી માહિતી માટે, આપને જણાવી દઈએ કે નેપાળમાં વિશ્વનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં સાગરમાથા તરીકે પણ ઓળખાય છે.) જોકે આ કરાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને સંયુક્ત રીતે માપવાના સંદર્ભમાં નથી, પરંતુ ત્યાં પરસ્પર સહયોગની વાત ચોક્કસપણે થઈ હતી.