ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 નવેમ્બર 2020
ફ્રાન્સે આતંકવાદીઓ સામે મોરચો ખોલ્યો છે. ફ્રેન્ચ સરકારનો દાવો છે કે મધ્ય માલીમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન, તેઓએ અલ-કાયદાના આતંકવાદીઓ સાથે સંકળાયેલા 50 થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ ટ્વીટ કરીને આની માહિતી આપી છે. ફ્રાન્સે ગયા અઠવાડિયાથી જ આ ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી પણ શરૂ કરી છે.
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીને કહ્યું કે, 'માલીમાં અમારા સૈનિકોએ 50થી વધુ જેહાડીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, લશ્કરી કાર્યવાહી દરમ્યાન સેનાએ વિશાળ માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો કબજે કર્યા છે. હું અમારા સૈનિકોની પ્રતિબદ્ધતાને સલામ કરું છું. અમારી સરહદોથી દૂર, તેઓ અમારી સુરક્ષા માટે કામ કરે છે. '
ફ્રાન્સે બુર્કિના ફાસો અને નાઇજરની સરહદ નજીક આ કાર્યવાહી હાથ ધરી છે. અહીંનું ફ્રેન્ચ સૈન્ય ધાર્મિક કટ્ટરવાદીઓ સામે લડત આપી રહ્યું છે. ફ્રાન્સે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદીઓ સામે લડત ચાલુ જ રહેશે. આતંકવાદીઓને પરાજિત કરવામાં નહીં આવે ત્યાં સુધી ફ્રાન્સ ચૂપ નહીં બેસે..