આરોગ્ય સેતુ એપનું સત્ય સામે આવ્યું.. દેશભરના 15 કરોડ વપરાશકારો ધરાવતી એપ માટે સરકારે આપ્યો આ જવાબ… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

29 ઓક્ટોબર 2020

આરોગ્ય સેતુ એપ અંગેના વિવાદ બાદ સરકારનો ખુલાસો બહાર આવ્યો છે. સરકારે માહિતી આપી હતી કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા ઉદ્યોગ અને શિક્ષણવિદ્યાના સ્વયંસેવકોના સહયોગથી આરોગ્ય સેતુ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય માહિતી આયોગે તાજેતરમાં જ આરોગ્ય સેતુ એપ્લિકેશન વિશેની માહિતી માટે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર (એનઆઈસી) ના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સૂચના કેન્દ્રની વેબસાઇટ પર, આરોગ્ય સેતુ એપનું નામ છે. પરંતુ તેના વિકાસ વિશે કોઈ માહિતી નથી.

આ પછી, સરકારે કહ્યું કે આરોગ્ય સેતુ એપ્લિકેશનને જાહેર-ખાનગી સહયોગથી રેકોર્ડ 21 દિવસમાં પારદર્શક રીતે વિકસાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, આરોગ્ય સેતુ એપ્લિકેશન પર શંકા ન કરવી જોઈએ. આરોગ્ય સેતુ એપ્લિકેશનની મદદથી, કોવિડ -19 સામે લડવામાં ઘણી મદદ મળી છે. 

@ 'આરોગ્ય સેતુ એપ' એટલે શું?

અત્રે જણાવી દઈએ કે, કોવિડ -19 ના દર્દીઓના સંપર્કમાં આવતાં લોકોના ટ્રેસિંગને શોધવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનનું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય છે કે હવાઈ મુસાફરીથી લઈ મેટ્રો અને ટ્રેનોની મુસાફરી કરતા પહેલા તેને ડાઉનલોડ કરવું ફરજિયાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને વારંવાર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરી છે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More