શું ઉદ્ધવ ઘમંડી થઈ ગયા છે.. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીને 100 થી વધુ પત્રો લખ્યા છે, પરંતુ તેનો જવાબ મળ્યો નથી. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

26 ઓક્ટોબર 2020

વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઉદ્ધવ ઠાકરેને જાહેર હિતના વિષયો પર 100 થી વધુ પત્રો લખ્યા છે , પરંતુ તેમનું કહેવું છે કે તેમને હજી સુધી એકનો પણ જવાબ મળ્યો નથી.

નવેમ્બર 2019 માં ઠાકરેએ શાસન સંભાળ્યા પછી, ફડણવીસ વિપક્ષી પક્ષ ભાજપના નેતા તરીકે ચૂંટાયા હતા.

ડિસેમ્બર 2019 અને માર્ચ 2020 ની વચ્ચે તેમણે મુખ્યમંત્રીને પત્રો મોકલ્યા હતાં. જેમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી, ફડણવીસે રાજ્યનો વ્યાપક પ્રવાસ શરૂ કર્યો અને વહીવટીતંત્રના પ્રયત્નો એકદમ અપૂરતા જોવા  મળ્યા હતાં. કોવિડ -19 કેન્દ્રોને વધુ સારી વ્યવસ્થાપન અને પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફની જરૂર હોવાનું તેઓનો મત હતો. મુંબઇમાં જુલાઈ કરતા ઓગસ્ટમાં માત્ર 14 ટકા વધુ પરીક્ષણો થયા હતા. અન્ય રાજ્યની બાબતમાં આ જ સંખ્યા 42 ટકા છે. તેથી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક મુંબઈમાં પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. આમ દરેક પ્રવાસ પછી તેમણે મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાનને સલાહ આપતા પત્રો લખ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More