PM મોદીએ આપ્યો કોરોના વાયરસથી બચવાનો નવો મંત્ર… એને ખાસ ગોખી રાખજો..  જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશવાસીઓને કોરોનાથી બચવાની સલાહ આપી છે. શનિવારે તેમણે નવો મંત્ર આપતા કહ્યું કે, 'જ્યાં સુધી રસી નહીં, ત્યાં સુધી કોઈ ઢીલ નહીં.' પ્રધાનમંત્રીએ કહ્યું, હું વારંવાર કહેતો આવ્યો છું, કે  દવા ક્યારે શોધાશે કાંઈ નક્કી નથી, ત્યાં સુધી ઢીલ આપવામાં નહીં આવે.. 'દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી આ મંત્રને ભૂલવાનો નથી.' તમારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. આ વાત પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનીને તૈયાર થયેલા ઘરોનું ઉદ્ઘાટન કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,59,985 પર પહોંચી છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે 36,24,197 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ કેસ 97,570 નોંધાયા છે. જ્યારે 1201 લોકોના મોત થયા છે.

આઈસીએમઆર મુજબ, 11 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતુ. રાહતની વાત એ છે કે પોઝિટિવિટી કેસોનો રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા મામલા 18 થી 44 વર્ષના લોકોના છે, પરંતુ મૃતકોમાં 51 ટકા 60 વર્ષથી વધારે ઉંમરના છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More